Gajara

મુંદરામાં જોખમી જર્જરિત ઇમારતો તોડવાનું અંતે શરૂ

જ્યાં રાજશાહીના જમાનાની જૂની અને પૌરાણિક ઇમારતોની સંખ્યા સવિશેષ છે તેવા બંદરીય નગર મુંદરા ખાતે મુન્દ્રા બારોઇ નગરપાલિકાએ નોટિસ પાઠવી બિન જરૂરી જર્જરિત ઇમારતો ને ધસવાની કામગીરી નો પ્રારંભ કર્યો છે . નગરનો આ લાંબા સમયનો મુદ્દો અંતે હાથ ઉપર લેવાયો છે. સાથેસાથે તે બાબતે અમલવારી પણ આરંભાઈ છે. ચીફ ઓફિસર વૈભવ ભાઈ વ્યાસ એ…

Read Full News

ખારવા સમાજ મુંદરાએ કર્યું સરસ્વતી સન્માન

ખારવા સમાજ મુંદરા દ્વારા સરસ્વતી સન્માન સમારંભ 2026 યોજાયો હતો. આ પ્રસંગે સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરીને તેમનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે મુંદરા વેપારી એસોસિએશનના પ્રમુખ તથા મુંદરા C.H.A. એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ કોટક, મુંદરા-બરોઈ નગરપાલિકા વોર્ડ નં. ૫ના કાઉન્સિલર હીનલબેન કષ્ટા, દરિયાલાલ મહિલા મંડળના પ્રમુખ મીનાબેન કોટીયા, સામાજિક કાર્યકર્તા રેખાબેન પરમાર,…

Read Full News

મુન્દ્રા એસ ટી.ના બે કર્મચારીને વિદાયમાન

મુન્દ્રા એસ ટી. ડેપોમાં ફરજ બજાવતા અને 28 વર્ષ ની નોકરી પૂર્ણ કર્યા બાદ ભદ્રેશ્વરના હનુભા જાડેજા નિવ્રુત્ત થતા તેમનો વિદાય માન સમારોહ મુન્દ્રા રાજપૂત ક્ષત્રિય સમાજ વાડી ખાતે યોજાયો હતો .તેમજ એસ ટી માં 27વર્ષ ની નોકરી પૂર્ણ કરનારા કંડક્ટર તરીકે ફરજ બજાવતા મૂળ મોટી તુંબડી ના આલુસિંહ જાડેજા નિવ્રુત્ત થતા તેમનો પણ વિદાય…

Read Full News

બરાયાની નદીનો પુલ બને છે 13 મહિનાથી

મુન્દ્રા તાલુકામાં બરાયા ગામની નદી પરનો પુલ ઝડપ થી બનાવવા માંગ હવે બળવત્તર બની રહી છે. અંદાજે 13 મહિના પહેલા આ પુલના કામ નો પ્રારંભ થયો હતો પણ હજુ કામ માં ઝડપ નહીં હોવા નું જણાઈ રહ્યું છે. તેવી લાગણી વ્યક્ત કરાઈ રહી છે. બરાયા ગામની નદી પરના આ પુલનું છેલ્લાં 13માસ થી કામ ચાલુ…

Read Full News

પાવાપુરી રોડ માટે પાવરદાર રજુઆત

મુંદરા બારોઈ નગરપાલિકાના વોર્ડ નંબર બેના વેપારીઓ અને વિવિધ કોલોનીના રહેવાસીઓ દ્વારા પાવાપુરી રોડ બનાવવા વેપાર ધંધા બંધ રાખીને આર એન બી. વિભાગ, ટીડીઓ અને પ્રાંત કચેરીને આવેદનપત્ર વેપારીઓ દ્વારા મુંદરા બારોઈ પાલિકા જુની ગ્રામ પંચાયત રોડ થી પાવાપુરી મહારાણા પ્રતાપ સર્કલ સુધી આ રોડ બાનાવાની માગ કરાઈ છે અગાઉ પણ આ બાબતે રજૂઆતો થઈ…

Read Full News

ગાંધીધામ રેલવે હોસ્પિટલમાં મોટી તબીબી સિદ્ધિ

66 વર્ષીય મહિલાન 3 કિલો વજનની ઓવેરિયન ગાંઠનું ઓપરેશન પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ હેઠળની ઉપ-મંડળ રેલવે હોસ્પિટલ, ગાંધીધામમાં અદ્યતન તબીબી સુવિધાઓ અને તબીબોની ટીમ દ્વારા 28 જુલાઇના જટિલ અને ઉચ્ચ જોખમવાળી સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી હતી.હોસ્પિટલના ડૉક્ટરોની ટીમે 66 વર્ષીય મહિલાના પેટમાંથી આશરે 3 કિલોગ્રામ વજન અને અંદાજે 20 × 18 સેમી કદની દુર્લભ અને…

Read Full News

અંજારમાં ચિલ્ડ્રન ટ્રાફિક પાર્કના કામને બહાલી

નગરપાલિકા સામાન્ય સભામાં મહત્વના નિર્ણયો લેવાયા અંજાર નગરપાલિકાની ત્રિમાસિક સામાન્ય સભાની બેઠક નગરપાલિકાના પ્રમુખ ધર્મિષ્ઠાબેન શામજીભાઈ ખાંડેકાના અધ્યક્ષ સ્થાને શુક્રવારે નગરપાલિકાના મુખ્ય સભાખંડમાં મળી હતી. જેમાં શહેરના વિકાસને લગતા અનેક નિર્ણયો લેવામાં આવ્યા હતા. એક કરોડના ખર્ચે બનનારા ચિલ્ડ્રન ટ્રાફિક પાર્કના કામને બહાલ રખાયો હતો. તો શહેરમાં મોડેલ ફાયર સ્ટેશનના નિર્માણ માટે દરખાસ્ત કરવાનું પણ…

Read Full News

નખત્રાણામાં પોલીસ સ્ટાફનો સફાઈ યજ્ઞ

નખત્રાણા પોલીસ મથકને ખરા અર્થમાં સ્માર્ટ પોલીસ સ્ટેશન બનાવવા માટે પોલીસ સ્ટાફએ સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું છે. આ કાર્યવાહી અંતર્ગત પક્ષીઓને પીવા માટે ચોગાનમાં પાણીના કુંડા પણ મૂકવામાં આવ્યા છે. તો કમ્પાઉન્ડ દિવાલ, ડી.વાય એસ પી કચેરીનું પ્રાંગણ તેમજ પોલીસ સ્ટેશન સંલગ્ન વિસ્તારમાં કર્મચારીઓએ શ્રમ યજ્ઞ કરી સ્વચ્છ કચેરીનું ઉદાહરણ આપવાનો પ્રયાસ કર્યો છે. અન્ય…

Read Full News

સમાજને ઉપયોગી મહત્તમ કાર્યો કરવાની નેમ

અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપની નવી જિલ્લા–મહિલા ટીમની પ્રતિબદ્ધતા ભુજ : છેલ્લા 28 વર્ષથી કાર્યરત અને 1998માં સ્થાપક પ્રમુખ જયંતીભાઈ જેઠાલાલ ઠક્કર (ડુમરાવાળા)ના માર્ગદર્શન હેઠળ કાર્યરત થયેલા અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ દ્વારા જિલ્લા મથકે યોજાયેલા કાર્યક્રમમાં ગ્રુપની નવી જિલ્લા અને મહિલા પાંખ ટીમની રચના કરવામાં આવી હતી. સમાજહિતના કાર્યોને વધુ વેગ આપવા તેમજ સમૂહલગ્ન,…

Read Full News

કળા–સંસ્કૃતિના રખેવાડ ગુરુનું પૂજન

પ્રાચીન કાળની અંદર ગુરુ શિષ્યની પરંપરા ચાલી આવે છે ગુરુ એ માત્ર શિક્ષક નહીં પરંતુ શિષ્યના જીવન માં આવેલા અંધકારને અજવાસ પાથરવાનું કામ કરે છે આ પરંપરા ને ચાલુ રાખી ભારતમાં 1981માં સ્થાપિત કરાયેલી સંસ્કાર ભારતી દ્વારા કલા અને સંસ્કૃતિને જાળવનારા કલા ગુરુઓને પૂજવાનો અવસર અવિરત રખાયો છે. ચાલુ વર્ષે કચ્છ સમિતિ દ્વારા કેળવણી કાર,…

Read Full News