લોકોના નસીબે તો ચાલવાનું ફૂટપાથની આસપાસ જ

સુપ્રીમ કોર્ટ દ્વારા આ સપ્તાહે ફૂટપાથોને દબાણમુક્ત રાખવા મહત્વપૂર્ણ નિર્દેશ આપવામાં આવ્યા છે. આ નિર્દેશના અનુસંધાને કચ્છના વિવિધ વિસ્તારોમાં કરવામાં આવેલા રિયાલિટી ચેકમાં વર્ષોથી ફૂટપાથો પર શાકભાજી, નાસ્તા અને અન્ય લારીઓના દબાણ યથાવત જોવા મળ્યા છે. રાહદારીઓની સુવિધા માટે બનાવાયેલા ફૂટપાથો અનેક સ્થળોએ દબાણના કારણે ઉપયોગમાં રહી શકતા નથી. પરિણામે લોકોને મુખ્ય માર્ગ પરથી પસાર…

Read Full News

એનાલોગ પનીર અને ચીઝ બાબતે તપાસ ઝુંબેશ

ભુજના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ૧૮ પેઢીઓ પર તપાસ ગુજરાત સરકાર દ્વારા પનીર અને ચીઝ જેવા મૂળ ખાદ્યપદાર્થોના નામે વેચાતા કૃત્રિમ તથા ભળતા પદાર્થો ‘એનાલોગ પનીર’ અને ‘ચીઝ એનાલોગ’ના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ અને ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સરકારી હુકમનું અમલીકરણ સુનિશ્ચિત કરવાના ભાગરૂપે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ભુજ-કચ્છના…

Read Full News

મુંદરાનું પ્રવેશદ્વાર બની રહ્યું છે અકસ્માત ઝોન

ગતિ અવરોધકના અભાવે વાહનો અનિયંત્રિત બંદરીય વિકાસની પ્રક્રિયાને લઈને સતત વિકસી રહેલા મુન્દ્રા નગરના પ્રવેશદ્વાર સમાન ડાક બંગલા ત્રણ રસ્તા પર અકસ્માતનો સતત ભય રહ્યા કરે છે. આ સ્થળે ગતિ અવરોધક અને ઝીબ્રા ક્રોસિંગ બનાવવાની આવશ્યકતા ઉભી થઇ છે. ડાક બંગલા ત્રણ રસ્તા પાસે વાહનોની સતત અવરજવર અને ભારે ટ્રાફિક રહે છે. તેના કારણે લોકો…

Read Full News

હર ઘર તિરંગા ઉજવણીને આખરી ઓપ અપાયો

ભુજમાં આયોજન બેઠકમાં સૂચના માર્ગદર્શન અપાયા કચ્છ કલેક્ટર અનિલ રાણાવસિયાના અધ્યક્ષસ્થાને હર ઘર તિરંગા કાર્યક્રમના સંદર્ભે આયોજન બેઠક યોજાઈ હતી. જેમાં ગ્રામ્યથી લઈને જિલ્લાકક્ષા સુધીના કાર્યક્રમોના આયોજન બાબતે માર્ગદર્શન પુરું પડાયું હતું. ૧૪ ઓગસ્ટના દિવસે ગાંધીધામમાં વિશાળ તિરંગા રેલીના આયોજન સાથે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની ઉજવણી કરાશે ૯ થી ૧૭ ઓગસ્ટ દરમિયાન ‘હર ઘર તિરંગા…

Read Full News

130 કિમી કલાકની ઝડપે સ્પીડ ટ્રાયલ પૂર્ણ

ચૌહરીકરણથી કચ્છ વિસ્તારમાં માલ પરિવહન,ઉદ્યોગ તથા યાત્રી સુવિધાઓને નવી ગતિની આશા પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના સામખિયાળી–ગાંધીધામ ચૌહરીકરણ યોજના અંતર્ગત આ રેલખંડ પર નવનિર્મિત ત્રીજી અને ચોથી રેલવે લાઇનનું રેલ સંરક્ષા (પશ્ચિમ સર્કલ) ઈ. શ્રીનિવાસ દ્વારા સંરક્ષા નિરીક્ષણ પૂર્ણ કરવામાં આવ્યું હતું. મંડળ રેલ પ્રબંધક (અમદાવાદ) વેદ પ્રકાશ તથા મુખ્ય વહીવટી અધિકારી (નિર્માણ) પ્રદીપ ગુપ્તા સહિત…

Read Full News

રેલવે કર્મચારીઓ માટે આધુનિક આવાસની અને મુસાફરો માટે શ્રેષ્ઠ સુવિધાના વિકાસ પર ભાર મૂકાયો

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના મંડળ રેલ પ્રબંધક (ડીઆરએમ) વેદ પ્રકાશે ગાંધીધામ રેલવે સ્ટેશન, ગાંધીધામ રેલવે કોલોની, ગાંધીધામ રેલવે ક્વાર્ટર્સ તેમજ જુના કંડલા રેલવે કોલોનીનું નિરીક્ષણ કરી રેલવે કર્મચારીઓ માટે ઉપલબ્ધ આવાસીય સુવિધાઓ, સ્ટેશન પરની મુસાફર સુવિધાઓ તેમજ વિસ્તારમાં ચાલી રહેલા વિકાસકાર્યોની સમીક્ષા કરી હતી. નિરીક્ષણ દરમિયાન ડીઆરએમે રેલવે કોલોનીમાં રહેતા કર્મચારીઓ અને તેમના પરિવારજનો સાથે…

Read Full News

ગુરુવારે ભચાઉ અને સામખીયાળી વચ્ચે 120 કી.મી. કલાકની ઝડપે ટ્રેન દોડશે

ત્રીજી અને ચોથી લાઇન માટે સુરક્ષા નિરીક્ષણનો પ્રારંભ રેલવે તંત્ર દ્વારા સામખિયાળી–ભચાઉ ચૌહરીકરણ પ્રોજેક્ટ અંતર્ગત નવનિર્મિત ત્રીજી અને ચોથી રેલવે લાઇનનું સીઆરએસ સંરક્ષા નિરીક્ષણ બુધવારથી આરંભાયુ હતું. ગુરુવાર સુધી આ કામગીરી ચાલુ રહેશે. પ્રથમ દિવસે સામખિયાળીથી ભચાઉ સુધીની નવી ડાઉન મેઇન-2 લાઇનનું નિરીક્ષણ, સમપાર ફાટક, પુલ તેમજ સંરક્ષા વ્યવસ્થાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. પશ્ચિમ રેલવેના…

Read Full News

ટાટ-એસ પરીક્ષા માટે કચ્છમાં કેન્દ્ર આવશ્યક

આગામી તા. 20/09/ના યોજાનારી ટાટ-એસની પરીક્ષાનું કેન્દ્ર કચ્છ જિલ્લામાં ફાળવવામાં આવે તેવી વિદ્યાર્થીઓ અને યુવા વર્ગ સમુદાયમાંથી માંગ ઉઠી છે. કચ્છ જેવા વિશાળ જિલ્લામાં હજારો ઉમેદવારો પરીક્ષા આપવાના હોવા છતાં પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવતું નથી, જેના કારણે વિદ્યાર્થીઓને અમદાવાદ સહિત દૂરના શહેરોમાં પરીક્ષા આપવા જવાની ફરજ પડે છે. પરિણામે વિદ્યાર્થીઓ પર આર્થિક, શારીરિક અને માનસિક…

Read Full News

ભુજમાં યોજાઈ રાજ્યની પ્રથમ મોક સંકલન

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નારી વંદના સપ્તાહ અંતર્ગત શક્તિ લીડરશીપ (મોક સંકલન બેઠક) રાજ્યમાં સૌ પ્રથમવાર બુધવારે ભુજમાં કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં કરવામાં યોજાઈ હતી. જેમાં જિલ્લા ની યુવતીઓને એક દિવસ માટે અધિકારી, પદઅધિકારી મહત્વના મુદ્દાઓ ઉપર સંકલન બેઠકમાં કઈ રીતે કામ અને રજુઆત કરે છે તે દર્શાવાયું હતું. મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત…

Read Full News

પૂર્વ કચ્છ પોલીસે યોજ્યો ટ્રાફિક નિયમ જાગૃતિ કાર્યક્રમ

રાજ્ય ના ડીજીપીની રાજ્ય કક્ષાની ટ્રાફિક ડ્રાઇવની સૂચના અનુસંધાને બોર્ડર રેન્જ આઇજી ચિરાગ કોરડીયાના માર્ગદર્શન હેઠળ પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારની સૂચનાથી જીલ્લા ટ્રાફિક શાખા પૂર્વ ક્ચ્છ-ગાંધીધામ તથા તોલાણી કોલેજ દ્રારા પ્રભુદર્શન હોલ આદીપુર ખાતે ટ્રાફિક નિયમ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી જે પ્રજાપતિ સીટી ટ્રાફિક પીએસઆઇ ડી સી ગોહિલ ગાંધીધામ…

Read Full News