મુંદરા બારોઈ નગરપાલિકાના વોર્ડ નંબર બેના વેપારીઓ અને વિવિધ કોલોનીના રહેવાસીઓ દ્વારા પાવાપુરી રોડ બનાવવા વેપાર ધંધા બંધ રાખીને આર એન બી. વિભાગ, ટીડીઓ અને પ્રાંત કચેરીને આવેદનપત્ર વેપારીઓ દ્વારા મુંદરા બારોઈ પાલિકા જુની ગ્રામ પંચાયત રોડ થી પાવાપુરી મહારાણા પ્રતાપ સર્કલ સુધી આ રોડ બાનાવાની માગ કરાઈ છે અગાઉ પણ આ બાબતે રજૂઆતો થઈ ગઈ છે કોઈ કામગીરી ન થતાં હાલે આ મુદા ને લઈ ને રોડ ઉપર લોકોને આવવાની ફરજ પડી છે તેવું આવેદનપત્રમાં જણાવાયું છે.
આ આવેદ પત્ર આપ્યા પછી કોઈ યોગ્ય કામગીરી નહી કરવામાં આવે તો આવતાં સમયમાં આ મુદા ઉપર ગાંધીચિધયા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેમ આક્રોશ સાથે રજુઆતમાં જણાવાયુ હતું
પાવાપુરી રોડ માટે પાવરદાર રજુઆત

