રાજીવ ગાંધીનું દેશ માટે અમૂલ્ય યોગદાન

કોંગ્રેસે શહેર તાલુકા મથકોએ યોજ્યો વંદના કાર્યક્રમ રાજીવ ગાંધીની 82મી જન્મજયંતિ નિમિત્તે જિલ્લામાં કોંગ્રેસ દ્વારા શહેર અને તાલુકા મથકોએ પુષ્પાંજલિ અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયા હતા. ભુજ ખાતે જિલ્લા પ્રમુખ વી.કે. હુંબલ દ્વારા હિતેન ધોળકિયા વિધાલય ખાતે વૃક્ષારોપણ કરાયું હતું. શહેર પ્રમુખ કિશોરદાન ગઢવી, અંજલિ ગોર સહિતના હાજર રહ્યા હતા. લખપત તાલુકામાં કોંગ્રેસ પ્રમુખ ઈબ્રાહીમભાઈ કુંભારના…

Read Full News

ભચાઉમાં વાઘની માસી માટે કરાયું રેસ્ક્યુ

બે વર્ષ પહેલા પડી ગયા બાદ કૂવામાં ફસાયેલી હતી પૂર્વ કચ્છના ભચાઉમાં નગરમાં બે વર્ષ પહેલા કૂવામાં પડી ગયા બાદ ફસાઈ ગયેલી બિલાડી માટે સફળ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને તેને સલામત બહાર કઢાઈ હતી. ભચાઉ રેલવે ફાટક પાસે આવેલી વાડીના 100 ફૂટથી વધુ ઊંડા કૂવામાં બિલાડી ફસાઈ હોવાની માહિતી મળ્યા બાદ આ કામગીરી હાથ ધરવામાં…

Read Full News

સલામત સવારી અપડાઉન કરનારા માટે બની વધુ સસ્તી અને ફાયદેમંદ

પંદર દિવસના ભાડામાં હવે થશે 30 દિવસની મુસાફરી ગુજરાત સરકારના રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા દરરોજ અપડાઉન કરનારા પ્રવાસીઓ માટે મહત્વનો, ફાયદેમંદ અને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. નિગમ દ્વારા રોજ અપડાઉન કરતા મુસાફરો માટે દૈનિક મુસાફર પાસ યોજનામાં ભાડા રાહત વધારી 50 ટકા સુધી કરાઈ હોવાની વિગતો સતાવાર રીતે જાહેર કરાઈ છે. નવા…

Read Full News

અંજારની આઠ નંબરની શાળામાં જ્યાં છાત્રો ભણે ત્યાં જ બપોરા યોજનાનું રંધાય

આમ આદમી પાર્ટીએ કરી શાળા સમીક્ષા અજાર શહેરમાં શાળા નં. 8ની કથળેલી હાલત બાબતે આમઆદમી પાર્ટી દ્વારા રજૂઆત કરાઇ હતી. અંજાર શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ ગજરાજસિંહ રાણા તથા મહામંત્રી લાભુ મહારાજ દ્વારા શાળા નં. 8ની મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન શાળામાં સફાઈનો અભાવ, બંધ શૌચાલય, વિદ્યાર્થીઓની નહિવત સંખ્યા અને ધોરણ 1 થી 5…

Read Full News

કલેકટરે મધ્યાહન ભોજનનો આસ્વાદ માણ્યો

નારાણપર રોહામાં શેડની સુવિધા માટે ૫ લાખની ગ્રાન્ટ ફાળવી ભુજ : કચ્છ જિલ્લામાં શિક્ષણ અને બાળકોના પોષણ સ્તરને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાના‌ માર્ગદર્શન હેઠળ વહીવટીતંત્ર પ્રયત્નશીલ છે. જેના ભાગરૂપે કલેક્ટરએ નારણપર રોહા ગામની પ્રાથમિક શાળા અને આંગણવાડીની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે શાળાના બાળકો અને સ્ટાફ સાથે સંવાદ સાધ્યો…

Read Full News

સામાન્ય વ્યક્તિની જરૂરત પૂરી કરે એ કાર્યકર

ભુજમાં ભાજપના ત્રિદિવસીય પ્રશિક્ષણ વર્ગનો પ્રારંભ ભુજ : પંડિત દિનદયાલ ઉપાધ્યાય વર્ષ 2026 અંતર્ગત દેશમાં ભારતીય જનતા પાર્ટી દર ત્રણ વર્ષે પ્રશિક્ષણ વર્ગોનું આયોજન કરે છે તેના અનુસંધાને કચ્છ જિલ્લામાં ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા મંગળવારથી ત્રિદિવસીય વર્ગનો પ્રારંભ ભુજમાં કરાયો હતો. પક્ષના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના હસ્તે આ વર્ગનું ઉદઘાટન થયું હતું પાર્ટીના…

Read Full News

ક. પં. ત્રીજા વર્ગ કર્મચારી મંડળ હવે ડિજિટલ

સામાન્ય સભામાં ડિજિટલ પોર્ટલનું લોન્ચિંગ કચ્છ પંચાયત ત્રીજા વર્ગ કર્મચારી મંડળ દ્વારા ભુજ ખાતે મંડળની સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં કારોબારી સભ્યો અને મંડળના સભાસદોની હાજરીમાં સંસ્થાની વેબસાઇટ ખુલ્લી મુકાઈ હતી. મંડળના પ્રમુખ નિર્મળસિંહ જગુભા જાડેજાએ જણાવ્યું હતું કે, મંડળ સામાન્ય સભામાં નવા કારોબારી સભ્યોની નિમણૂક, વર્ગ-૩માંથી વર્ગ-૨ માં પ્રમોશન મેળવનારા કર્મચારીઓનું સન્માન, મંડળની સભ્ય…

Read Full News

મજદૂર સંઘ દ્વારા ભુજમાં ધરણાં આવેદન

લાંબા સમયથી પડતર પ્રશ્નો માટે કરાયો પુનરોચ્ચાર ભારતીય મજદુર સંઘ દ્વારા દેશ વ્યાપી આંદોલનના ભાગરૂપે ભુજ ખાતે જિલ્લા કલેકટર કચેરીએ વિવિધ માંગણીઓ સાથેનો ધારણા તથા આવેદનપત્રનો કાર્યક્રમ યોજ્યો હતો. આશા વર્કર, મધ્યાન ભોજન, વિદ્યુત, એલ.આઇ.સી સહિતના વિવિધ એકમના ૭૦૦ કર્મચારી જોડાયા હતા સંઘના જિલ્લા મંત્રી જીગ્નેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું કે સરકાર દ્વારા પેન્શન, મોંઘવારી, મેડિકલ, મધ્યાન…

Read Full News

બન્નીમાં ૨૦ કાળિયાર ગ્રાસલેન્ડમાં છોડાયા

શાકાહારી વન્યજીવોને પુન:સ્થાપિત કરી બન્નીના ઘાસિયા મેદાનમાં જૈવ વિવિધતા અને પર્યાવરણીય સંતુલન જાળવવા પ્રયાસ બન્નીમાં ચિત્તા સંરક્ષણ-સંવર્ધન પ્રોજેકટ અંતર્ગત બન્ની વિસ્તારમાં ઇકોસિસ્ટમ મજબૂત કરવા તથા પર્યાવરણીય સંતુલન જાળવવાના હેતુસર ગુજરાત સરકાર દ્વારા ૨૦ કાળિયાર બન્નીના ગ્રાસલેન્ડમાં છોડવામાં આવ્યા હતા. ગુજરાતના વનવિભાગ દ્વારા બન્નીના ઘાસિયા મેદાનમાં સ્વાતંત્ર્ય પર્વના દિવસે મેદાનમાં ૨૦ કાળિયારને મુકત કરવામાં આવ્યા હતા….

Read Full News

કચ્છના સર્વાંગી વિકાસ માટે સરકાર કટિબદ્ધ

મુંદરા ખાતે જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય પર્વની શાનભેર ઉજવણી રાજ્યના શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના અધ્યક્ષસ્થાને મુન્દ્રા ખાતે ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દૂરદર્શિતા થકી ભૂકંપગ્રસ્ત કચ્છને વિકાસની નવી પાંખો મળતા જિલ્લાનો ઐતિહાસિક વિકાસ થયો છે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં રાજ્ય સરકાર કચ્છના સર્વાંગી વિકાસ માટે…

Read Full News