રાપરમાં સમરસતા કળશ યાત્રા યોજાઈ

વિવિધ ગામમાં ફરી સરપંચોને કળશ અપાશે સંત શિરોમણી ગુરૂ રવિદાસજી મહારાજની 650મી જયંતિ નિમિત્તે સમરસતા સંકલ્પ અભિયાન કળશ યાત્રા રાપર ખાતે યોજાઈ હતી. ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં સરપંચો ને કળશ અર્પણ કરવામાં આવશે યાત્રા દરેક ગામોમાં ફરશે. રાપરમા ભાજપ કાર્યાલયથી દેના બેન્ક ચોક ખાતે રામદેવપીર મંદિર ખાતે પહોંચી આરતી કરી…

Read Full News

સંસ્કારો સાથે પ્રતિભાને પ્રોત્સાહન આપતી સ્પર્ધા

ભુજ : અણુવ્રત આંદોલન દ્વારા બાળકો, યુવાનો તથા સમાજના દરેક વર્ગમાં નૈતિકતા, ચારિત્ર્યનિર્માણ અને જીવનમૂલ્યોની જાગૃતિ કેળવવાના હેતુથી ‘અણુવ્રત પ્રબોધન પ્રતિસ્પર્ધા–2026’નું આયોજન કરવામાં આવ્યું છે. અણુવ્રતના માનવીય મૂલ્યોને અભ્યાસ અને આત્મચિંતન સાથે જોડતી આ સ્પર્ધામાં સહભાગી થનાર પ્રતિભાઓ માટે આકર્ષક રોકડ પુરસ્કારોની પણ જાહેરાત કરવામાં આવી છે. આ સ્પર્ધા માત્ર સામાન્ય જ્ઞાન કે સ્પર્ધાત્મક પરીક્ષા…

Read Full News

ભુજમાં 27મીએ મહારાણી પ્રીતિદેવી ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગોને કિટનું વિતરણ

ધારાસભ્યની હાજરીમાં યોજાશે સેવાનો કાર્યક્રમ સેવા પરમો ધર્મના સૂત્ર સાથે વિવિધ સેવાકીય, ઉપયોગી અને રચનાત્મક પ્રવૃત્તિઓ કરતી સંસ્થા મહારાણી પ્રીતિદેવી જીવદયા ટ્રસ્ટ દ્વારા તા. 27 ઓગષ્ટ ગુરુવારે દિવ્યાંગ લાભાર્થીઓને કીટ વિતરણનો કાર્યક્રમ યોજાશે. મહારાણી પ્રીતિદેવી જીવદયા ટ્રસ્ટ ભુજ દ્વારા સમયાંતરે સેવાની અને ઉપયોગી પ્રવૃતિ સંસ્થાની સ્થાપનાથી થતી આવે છે. આ અભિગમ જાળવી રાખતા દિવ્યાંગ વ્યક્તિઓને…

Read Full News

આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજને” વિશ્વ સત્સંગ સમ્રાટ * પદવીથી નવાજાયા

સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા ઘનશ્યામ મહારાજ રજત પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો  સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત સ્વામિનારાયણ મંદિર, ન્યુ જર્સી ખાતે ઘનશ્યામ મહારાજ રજત પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. સંત સંમેલનમાં આવેલા જગદ્દગુરુ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ અવિચળ દેવાચાર્યજી મહારાજ, મહામંડેલેશ્વર પ્રતાપુરીજી મહારાજ – રાજસ્થાન, યોગાચાર્ય અખિલેશદાસજી મહારાજ – હરિદ્વાર, મહામંડેલેશ્વર હરીશચંદ્રપુરીજી મહારાજ તથા બી.એ.પી.એસ સંસ્થાના સંતોની…

Read Full News

બાળ કલાકારોએ બક્ષિસની રકમ પ્રભુ ચરણોમાં આપી.

આરાધના ભવન જૈનસંઘ – ભુજમાં નેમનાથ પ્રભુની નવ ભવની પ્રીતિનો કાર્યક્રમ યોજાયો ભુજ આરાધના ભવન જૈનસંઘ ભુજના ઉપક્રમે ચાતુર્માસ ગાળતા જૈનાચાર્ય આનંદવર્ધનસૂરિશ્વરજી મ.સા. અને આત્મદર્શનસૂરિશ્વરજી મ.સા. આદિ ઠાણા-૧૮ની હાજરીમાં દાતા પ્રેમિલાબેન સ્વરૂપચંદભાઈ મહેતા પરિવારના સહયોગથી નેમનાથ પ્રભુની ૯ ભવની પ્રીતિનો સ્ટેજ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તમામ ૨૦થી વધારે કલાકારોનો રોલ સંઘના બાળકોએ ભજવ્યો હતો. બે…

Read Full News

સેવાને વધુ વેગનો રોટરી મુન્દ્રાનો નિર્ધાર

શપથ ગ્રહણ સમારંભ નિમિતે અપાઈ ખાત્રી મુન્દ્રા: રોટરી ક્લબ ઓફ મુન્દ્રા દ્વારા નવા રોટરી વર્ષની ટીમનો શપથ સમારોહ યોજાયો હતો. ક્લબના નવા પ્રમુખ તરીકે રાકેશ મહેશ્વરી અને નવા સેક્રેટરી તરીકે નરેન્દ્રસિંહ (લાલુભા) પરમારએ પદભાર સંભાળ્યો હતો. માજી પ્રમુખ શૈલેશ માલીએ પોતાના કાર્યકાળની જવાબદારી નવી ટીમને સોંપી હતી. ઇન્સ્ટોલેશન અધિકારી તરીકે ડિસ્ટ્રિક્ટ ગવર્નર વિક્રમ ઠક્કર, ઉપસ્થિત…

Read Full News

ગુરુવારે ગોધરામાં રક્તદાન મેગા મેડિકલ કેમ્પ

ઓપરેશન નિઃશુલ્ક કરી અપાશે દવા પણ મફત અપાશે માંડવી : કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ – ગોધરાના ઉપક્રમે ગોધરા ગામના શ્રેષ્ઠી સુંદરજીભાઈ લાલજીભાઈ કેશવજીભાઈ ભેદા પરિવાર (જૂહુ – પાર્લા – મુંબઈ – ગોધરા)ના દાનથી ૨૦મી ઓગસ્ટ ગુરુવારના સવારના ૯ થી ૧ વાગ્યા દરમ્યાન, વિવિધલક્ષી હોલ – બી. કે. ભેદા સંકુલ – ગોધરામાં બ્લડ ડોનેશન કેમ્પ…

Read Full News

દીકરીઓને શિક્ષણ, સુરક્ષા અને સમાન તક એ સમાજની સામુહિક જવાબદારી

માંડવી ધારાસભ્યના હસ્તે યોજનાઓના હુકમોનું વિતરણ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યની મહિલાઓ સામાજિક, આર્થિક, માનસિક અને શારીરિક રીતે સશક્ત બને તેમજ સમાજમાં ગૌરવભેર આગળ વધે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે. આ અંતર્ગત દર વર્ષે ૧ થી ૮ ઓગસ્ટ દરમિયાન “નારી વંદન સપ્તાહ”ની ઉજવણી કરવામાં આવે છે….

Read Full News

રાષ્ટ્ર ધર્મ જ સર્વોપરી અને સર્વસ્વ

ના.સરોવર સ્વામી મંદિરે લહેરાયો ત્રિરંગો નારાયણ સરોવર સમગ્ર દેશની સાથે રાષ્ટ્રીય મહાપર્વની ઉજવણી રાષ્ટ્રના છેવાડે આવેલા તીર્થધામ ના.સરોવર ખાતે સ્વામિનારાયણ મંદિરના ઉપક્રમે ગર્વભેર કરાઈ હતી. નારાયણસરોવર સ્વામિનારાયણ મંદિર ખાતે મરીન કમાન્ડની ઉપસ્થિતિમાં ડી. વાય. એસ. પી. શ્રી. ઝાલા , પૂજારી મેઘજીભાઈ પટેલ, સંચાલક જીતેનભાઈ વેકરીયા, દિપકભાઈ જોશી અને પ્રવાસીઓની હાજરીમા ધ્વજવંદન નો કાર્યક્રમ ગર્વભેર યોજાયો…

Read Full News

ભુજ સ્વામિનારાયણ મંદિર ખાતે સંતો હરિભક્તોએ લહેરાવ્યો ત્રિરંગો

શાસ્ત્ર સાથે રાષ્ટ્ર અને તેના પર્વ પણ એટલા જ આવશ્યક અને સૌની ફરજ હોવાની શીખ આપતા ભુજ નૂતન સ્વામિનારાયણ મંદિરના સંતો અને હરિભક્તોએ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી હતી. ભુજ સ્વામિનારાયણ મંદિર ખાતે મંદિરના મહંત સ્વામી ધર્મનંદનદાસજી, ઉપમહંત સ્વામી ભગવતજીવનદાસજી, કોઠારી પાર્ષદ જાદવજી ભગત, વહીવટી કાર્યવાહક સંત દેવપ્રકાશદાસજી આદી વરિષ્ઠ સંતોના આશિર્વાદ અને માર્ગદર્શન સાથે રાષ્ટ્રીય…

Read Full News