અણુવ્રત કોઈ ધર્મ કે સંપ્રદાય નથી, પરંતુ માનવતા – કુદરતના સંરક્ષણનું વૈશ્વિક જીવનદર્શન
અણુવ્રત સમિતિ ભુજનું આહ્વાન; અણુવ્રતના સંકલ્પો અપનાવી સમાજના નિર્માણમાં સહભાગી બનો વર્તમાન સમયમાં હિંસા, વ્યસન, ભ્રષ્ટાચાર, પર્યાવરણનું વધતું પ્રદૂષણ અને નૈતિક મૂલ્યોના હ્રાસ જેવી વૈશ્વિક પડકારજનક પરિસ્થિતિઓ વચ્ચે માનવતાના મૂલ્યોનું સંવર્ધન સમયની સૌથી મોટી આવશ્યકતા બની છે. આ હેતુને સાકાર કરવા માટે અણુવ્રત સમિતિ ભુજ દ્વારા સમાજમાં નૈતિક ચેતના, મૂલ્યનિષ્ઠ જીવનશૈલી અને પ્રકૃતિ પ્રત્યેની જવાબદારીનો…

