કચ્છ કલેકટર અનિલકુમાર રાણાવસિયા દ્વારા મંગળવારે અબડાસા મામલતદાર અને વહીવટી તંત્રની ટીમ સાથે ખીરસરા વિંઝાણ ગામની મુલાકાત લેવામાં આવી હતી ગામમાં પાણી, વીજળી, ગામતળ પ્લોટ સહિતની સુવિધાઓ અંગે ગ્રામજનોએ રજૂઆત કરી હતી. કલેકટરએ પ્રશ્નો સાંભળી સંબંધિત અધિકારીઓને તાત્કાલિક નિરાકરણ માટે સૂચના આપી હતી. ખીરસરાના સરપંચ આદમભાઈ હિંગોરા, અગ્રણીઓ, ગ્રામજનો હાજર રહ્યાં હતાં.
કલેકટરખીરસરા વીંજાણની મુલાકાતે

