ગુરુવારે ભચાઉ અને સામખીયાળી વચ્ચે 120 કી.મી. કલાકની ઝડપે ટ્રેન દોડશે

ત્રીજી અને ચોથી લાઇન માટે સુરક્ષા નિરીક્ષણનો પ્રારંભ રેલવે તંત્ર દ્વારા સામખિયાળી–ભચાઉ ચૌહરીકરણ પ્રોજેક્ટ અંતર્ગત નવનિર્મિત ત્રીજી અને ચોથી રેલવે લાઇનનું સીઆરએસ સંરક્ષા નિરીક્ષણ બુધવારથી આરંભાયુ હતું. ગુરુવાર સુધી આ કામગીરી ચાલુ રહેશે. પ્રથમ દિવસે સામખિયાળીથી ભચાઉ સુધીની નવી ડાઉન મેઇન-2 લાઇનનું નિરીક્ષણ, સમપાર ફાટક, પુલ તેમજ સંરક્ષા વ્યવસ્થાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. પશ્ચિમ રેલવેના…

Read Full News

ટાટ-એસ પરીક્ષા માટે કચ્છમાં કેન્દ્ર આવશ્યક

આગામી તા. 20/09/ના યોજાનારી ટાટ-એસની પરીક્ષાનું કેન્દ્ર કચ્છ જિલ્લામાં ફાળવવામાં આવે તેવી વિદ્યાર્થીઓ અને યુવા વર્ગ સમુદાયમાંથી માંગ ઉઠી છે. કચ્છ જેવા વિશાળ જિલ્લામાં હજારો ઉમેદવારો પરીક્ષા આપવાના હોવા છતાં પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવતું નથી, જેના કારણે વિદ્યાર્થીઓને અમદાવાદ સહિત દૂરના શહેરોમાં પરીક્ષા આપવા જવાની ફરજ પડે છે. પરિણામે વિદ્યાર્થીઓ પર આર્થિક, શારીરિક અને માનસિક…

Read Full News

ભુજમાં યોજાઈ રાજ્યની પ્રથમ મોક સંકલન

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નારી વંદના સપ્તાહ અંતર્ગત શક્તિ લીડરશીપ (મોક સંકલન બેઠક) રાજ્યમાં સૌ પ્રથમવાર બુધવારે ભુજમાં કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં કરવામાં યોજાઈ હતી. જેમાં જિલ્લા ની યુવતીઓને એક દિવસ માટે અધિકારી, પદઅધિકારી મહત્વના મુદ્દાઓ ઉપર સંકલન બેઠકમાં કઈ રીતે કામ અને રજુઆત કરે છે તે દર્શાવાયું હતું. મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત…

Read Full News

પૂર્વ કચ્છ પોલીસે યોજ્યો ટ્રાફિક નિયમ જાગૃતિ કાર્યક્રમ

રાજ્ય ના ડીજીપીની રાજ્ય કક્ષાની ટ્રાફિક ડ્રાઇવની સૂચના અનુસંધાને બોર્ડર રેન્જ આઇજી ચિરાગ કોરડીયાના માર્ગદર્શન હેઠળ પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારની સૂચનાથી જીલ્લા ટ્રાફિક શાખા પૂર્વ ક્ચ્છ-ગાંધીધામ તથા તોલાણી કોલેજ દ્રારા પ્રભુદર્શન હોલ આદીપુર ખાતે ટ્રાફિક નિયમ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી જે પ્રજાપતિ સીટી ટ્રાફિક પીએસઆઇ ડી સી ગોહિલ ગાંધીધામ…

Read Full News

બેખોફ – બેલગામ ખનિજચોરી સામે તંત્રની ” કાંટાની ટક્કર”

છેલ્લા લાંબા સમયથી કસદાર કમાણીને લઈને પુરબહાર સ્થિતિએ પહોંચેલી ખનીજ ચોરી સામે તંત્રએ પણ કામગીરીનો સપાટો બરકરાર રાખ્યો છે. મંગળવારે ભુજ અને અબડાસા તાલુકામાં બે દરોડા પાડી ખનિજની ચોરી માટે કામે લગાવાયેલા દોઢ કરોડથી વધુની કિંમતના વાહનો અને સાધનો કબજે લેવાયા હતા. જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ તથા ભૂસ્તરશાસ્ત્રી ડી. એસ. બારીયાના નેતૃત્વમાં ખાણ…

Read Full News

મુંદરામાં જર્જરિત ઇમારતો પાડવાનું કામ શરૂ

ભાટિયા ચકલાથી કાર્યવાહીનો પ્રારંભ  2001ના વિનાશક ભૂકંપ બાદ હલબલીને વધુ નબળી થયેલી મુન્દ્રા ની દાયકાઓ જૂની બંધ હાલત માં ઉભેલી જર્જરિત ઇમારતો જીવલેણ સાબિત થાય એવી લાંબા સમયની દહેશત વચ્ચે આવી ઇમારતો ધસવાનું કાર્ય અંતે મુન્દ્રા બારોઇ નગરપાલિકા દ્વારા શરૂ કરાયું છે.મુન્દ્રા નગરના કોટ અંદરના વિસ્તારમાં ભાટિયા ચકલા સ્થિત દાયકાઓ જૂની બે જર્જરિત ઇમારતો ને…

Read Full News

સામખિયાળી–ભચાઉ રેલવે ચૌહરીકરણ સેક્શનનું બુધ અને ગુરુવારે કરવામાં આવશે સુરક્ષા નિરીક્ષણ

લોકોને ટ્રેકથી સુરક્ષિત અંતર જાળવવા અપીલ પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળમાં રેલવે અવસંરચનાના વિસ્તરણ અને આધુનિકીકરણ તરફ વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ નોંધાવા જઈ રહી છે. સામાખ્યાલી–ગાંધીધામ ચોહરીકરણ પ્રોજેક્ટ હેઠળ સામાખ્યાલી અને ભચાઉ સ્ટેશનો વચ્ચે નવી નિર્મિત 32.90 ટ્રેક કિલોમીટર લાંબી ત્રીજી અને ચોથી રેલ લાઇન પર યાત્રી રેલ સેવાઓ શરૂ કરવામાં આવે તે પહેલાં રેલવે સુરક્ષા…

Read Full News

કનોજ મેજર બ્રિજની કામગીરી પૂરજોશમાં

લખપત-કોટેશ્વર રોડ પર આવેલા યાત્રાધામ નારાયણ સરોવરને જોડતો કનોજ મેજર બ્રિજ જર્જરિત હાલતમાં હોવાથી તેને ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો હતો. સ્થાનિક ધારાસભ્ય અને નાગરિકોની રજૂઆતને ધ્યાને લઈને રાજ્ય સરકાર દ્વારા આ બ્રિજના નવનિર્માણ માટે તાત્કાલિક ધોરણે મંજૂરી આપવામાં આવી હતી. જેને પગલે માર્ગ અને મકાન વિભાગ દ્વારા જરૂરી નકશા અને અંદાજો તૈયાર કરીને…

Read Full News

નરેન્દ્ર મોદીના અભિયાન સાથે જોડાયું ભુજ

અણુવ્રત સમિતિના કાર્યક્રમમાં લેવાયા નશામુક્તિના શપથ અણુવ્રત સમિતિ ભુજ દ્વારા તેરાપંથ ભવનમાં યોજાયેલા લાઇવ કાર્યક્રમમાં લોકોએ આજીવન નશામુક્ત રહેવાનો સંકલ્પ લીધો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કેન્દ્રીય યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલયના ‘નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત સંકલ્પ અભિયાન’ અંતર્ગત દેશના યુવાશક્તિ અને નાગરિકોને સંબોધિત કરવામાં આવેલા વર્ચ્યુઅલ કાર્યક્રમ સાથે ભુજ પણ જોડાયું હતું.અણુવ્રત સમિતિ…

Read Full News

વાગડના અનેક તળાવ ડેમ ઓગની જતા વધાવાયા

અમરપર, એકલ બાંભણકા રણ દરિયામાં ફેરવાયા રાપર : વરસે તો વાગડ ભલો એ કહેવત મુજબ વાગડ ના રાપર તાલુકા માં મોસમ નો કુલ 362 મી.મી વરસાદ નોંધાયો છે 14 ઈંચ વરસાદ થયો છે ત્યારે વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપરના પૌરાણિક આંઢવાળા તળાવ ઓગની જતા તેને નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ ભીંડે ના હસ્તે પુજા અર્ચના કરીને શાસ્ત્રોક્ત…

Read Full News