ગુનાખોરી સાથે નાતો ધરાવતા પાંચ ઇસમના ગેરકાયદે બાંધકામ અંજારમાં તોડી પડાયા

એકાદ કરોડની જમીન દબાણથી મુક્ત કરાવાઈ અંજાર શહેરના શેખ ટીંબા વિસ્તારમાં રહેતાં અને વિવિધ ગુનામાં જેમની સંડોવણી અગાઉ બહાર આવી ચૂકી છે તેવા પાંચ ઈસમના પાંચ ગેરકાયદે મકાન જમીનદોસ્ત કરી નાખવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. અંજાર ખાતે સ્થાનિક પોલીસે સુરક્ષા બંદોબસ્ત વચ્ચે હાથ ધરેલી આ કાર્યવાહીમાં અંદાજે એક કરોડની જમીનને દબાણમુક્ત કરાવાઇ હોવાનું પોલીસ સાધનોએ…

Read Full News

લખલૂટ કમાણી પછીયે કંપનીઓનું કચ્છમાં સામાજિક ઉત્તરદાયિત્વ ક્ષેત્રે નબળું યોગદાન

ત્રણ વર્ષમાં માત્ર 307 કરોડનો ખર્ચ, જે રાજ્યમાં આઠમા ક્રમે વિનાશક ધરતીકંપ બાદ ટેક્સ બેનીફિટના લાભ સાથે કચ્છમાં કાર્યરત થયેલી વિવિધ કંપનીઓની તિજોરી અત્યાર સુધી બેશક છલકાતી રહી છે. પણ સામાજિક ઉતારદાયિત્વતાનો લાભ અન્ય જિલાઓને વધુ થયો હોવાની આંકડાકીય વિગતો ખુલી છે. બહાર આવેલી માહિતી મુજબ કચ્છમાં કંપનીઓએ ત્રણ વર્ષમાં માત્ર 307 કરોડનો સી.આર.એસ. ખર્ચ…

Read Full News

માંડવી અને ભુજમાં પનીર વિશે અવિરત ચેકિંગ

શંકાસ્પદ ૨૦ કિલો જથ્થો નાશ કરાયો : નમૂના લેબમાં મોકલાયા ગુજરાત સરકાર દ્વારા એનાલોગ પનીર અને ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થો સામે શરૂ કરવામાં આવેલી ઝુંબેશના ભાગરૂપે કચ્છ જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા તપાસ વધુ તેજ કરવામાં આવી છે. માંડવી અને ભુજ તાલુકામાં ફૂડ સેફ્ટી ઓફિસર એમ.એમ. પટેલ તથા એસ.બી. પટેલની ટીમે વિવિધ હોટલો, ડેરી પ્રોડક્ટ્સના…

Read Full News

અમેરિકાની કોર્ટ દ્વારા અદાણી ગ્રુપને “ક્લીનચીટ”

ગૌતમ અદાણી ઉવાચ “સત્યનો વિજય થયો છે” ભારત જ નહીં પણ એશિયા અને સમગ્ર વિશ્વમાં જેમની ગણના ટોપ ઉપર છે તેવા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને તેમના સમગ્ર ગ્રુપ માટે સારા સમાચાર સામે આવ્યા છે. અમેરિકામાં આ ઔધોગિક ગ્રુપ સામે લાગેલા ફોજદારી આરોપો અંગેના કેસમાં અમેરિકાના એક ન્યાયાધીશે અદાણી કંપનીના અધિકારીઓ સામે દાખલ કરાયેલા આરોપોને ફગાવી…

Read Full News

નખત્રાણાનું દેવકીનગર સતત વહેતી ગટરની ગંધથી હેરાન : રોગચાળાનો ભય

નખત્રાણા નગરમાં દેવકીનગર રોડ પર છેલ્લા આઠેક દિવસથી સતત વહી રહેલી ગટરના કારણે રહેવાસીઓ અને રાહદારીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા હોવાની ફરિયાદો ઉઠી છે. રહેવાસીઓને, મચ્છર અને ગંધથી બીમારી નો ડર પણ સતાવી રહ્યો છે દેવકી નગર રોડ પર છેલ્લા 8 દિવસથી ખાનગી સંકુલમાંથી ગટરનું ગંદુ પાણી સતત રોડ પર વહી રહ્યું છે. જેના કારણે…

Read Full News

અબડાસા વિસ્તારમાં ખેડૂતો માટે 10 કલાક વીજ પુરવઠો જરૂરી

ધારાસભ્ય દ્વારા રાજ્ય સ્તરે રજુઆત અબડાસા વિધાનસભા વિસ્તારમાં ખેડૂતોને 10 કલાક વીજપુરવઠો પૂરો પાડવામાં આવે તેવી અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ઉર્જા મંત્રી ઋષિકેશભાઇ પટેલ તેમજ ઉર્જા મંત્રી કૌશિકભાઇ વેકરીયાને લેખિત રજૂઆત કરવામાં આવી છે. અબડાસા વિધાનસભા વિસ્તાર ખેતીપ્રધાન વિસ્તાર છે. હાલની પરિસ્થિતિમાં નહિવત વરસાદ છે. જેના કારણે ખેડૂતોની હાલત કફોડી છે….

Read Full News

પૂરતા વ્યવસાયિક કોર્સના અભાવે કચ્છી છાત્રોના ભાલે શૈક્ષણિક હિજરતનું તિલક હજુયે કાયમ

લાંબા સમયનો મુદ્દો પોકારે છે ઉકેલ માટેની આલબેલ કચ્છની યુવતી સાથે હાલમાં જ અમદાવાદમાં દુષ્કર્મની ઘટના બન્યા બાદ કચ્છ બહાર અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓના મુદ્દે ફરી એકવાર ચર્ચા છેડાઈ છે. જેના નિષ્કર્ષ મુજબ કચ્છમાં આવશ્યક અને પૂરતા શૈક્ષણિક કોર્ષનાં અભાવે છાત્રોની શિક્ષણ હિજરત કાયમ રહી છે. પરાપૂર્વથી કચ્છના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે અમદાવાદ સહિતના શહેરોમાં જવાની…

Read Full News

યુનિ.ના ધોરડો એક્સટે. સેન્ટરનો પ્રારંભ

દીકરીઓને ઉચ્ચ શિક્ષણ અપાવવા માટે આહવાન કચ્છ યુનિવર્સિટી દ્વારા 2024 25 થી કચ્છના છેવાડાના વિસ્તારોમાં ઉચ્ચ શિક્ષણ ઘર આંગણે પહોંચતું કરવા માટે એક્સટેન્શન સેન્ટરો શરૂ કરાયા છે, તેમાં આ વર્ષે નવા પાંચ સેન્ટર ઉમેરી વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચવાનો પ્રયત્ન કરાઈ રહ્યો છે. આ વચ્ચે કચ્છના વિશ્વપ્રસિદ્ધ સફેદ રણથી નજીકના ધોરડો અને આસપાસના ગામોના વિદ્યાર્થીઓને પણ…

Read Full News

ગાંધીવાદી નેતાને શ્રધ્ધાસુમન

ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ અને ભુજના પૂર્વ નગરપતિ સ્વ. કુંદનભાઈ ધોળકિયાની ૧૦૬મી જન્મ જયંતી ભુજ ખાતે વિવિધ સેવા કાર્યો સાથે ઉજવાઇ હતી ટાઉનહોલ નજીક આવેલી સ્વની પ્રતિમા સમક્ષ વંદના કરાઈ હતી. ભુજ નગરપાલિકા સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળ દ્વારા વંદના કાર્યક્રમમાં ભુજ નગરપાલિકા વતી નગરપતી શીતલભાઇ શાહ, કુંદનલાલ ધોળકિયા સ્મારક સમિતિના અવિનાશભાઈ વૈદ્ય ,…

Read Full News

શ્રાવણમાં રોજ આનંદેશ્વર શિવાલયે ૫૧૦૦ બીલીપત્ર ચડાવાશે

શિવયાગ હવન, રુદ્રાભિષેક વગેરે યોજશે શ્રાવણ માસના પવિત્ર અવસર પર અબડાસામાં ડુમરા સ્થિત આનંદેશ્વર મહાદેવ મંદિર સંકુલ ખાતે નિત્ય મહાદેવ અને સ્થાપિત દેવોના પૂજન અને રુદ્રાભિષેક સાથે ૫૧૦૦ બિલીપત્ર પ્રત્યેક દિવસે અર્પણ કરવામાં આવશે સમગ્ર માસ દરમ્યાન 1.51 લાખ બીલીપત્ર ચડાવાશે. શિવયાગ (હવન ) અને સાંજે શિવ સહસ્ત્ર નામના પાઠ, શિવ ચાલીસા, હનુમાન ચાલીસા, શિવ…

Read Full News