હોમિયો. દવાથી જટિલ રોગોમાં પણ ફાયદો થાય
માંડવીના સેવામંડળ અને ભુજના રામકૃષ્ણ મઠના સંયુક્ત ઉપક્રમે, સેવામંડળના દવાખાનામાં મંછારામ બાપુના વાડામાં શનિવારના હોમિયોપેથિક નિદાન અને સારવારનો ૨૭મો નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં નવ ગામના ૧૧૪ લોકોએ લાભ લીધો હતો. ડો.મનોજભાઈ માકાણી (એમ.ડી.)એ જણાવ્યું હતું કે, હોમિયોપેથીક દવા લેવાથી કોઈ આડઅસર થતી નથી તેમજ હોમિયોપેથીક દવાઓ લાંબા સમય સુધી લેવાથી જટિલ રોગોમાં…

