શ્રાવણમાં ઠેરઠેર ભક્તિભાવ

દેવાધિદેવ ભગવાન શંકર અને ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિનો મહિનો શ્રાવણ શરૂ થતા કચ્છ જિલ્લામાં વિવિધ સ્થળે શ્રધ્ધા સાથે થઈ રહેલા ભક્તિભાવના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. એકબાજુ સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં હિંડોળા રંગ જમાવી રહ્યા છે. તો બીજીબાજુ કથા અને પૂજાપાઠનો માહોલ દેખાઈ રહ્યો છે. પ્રસ્તુત તસવીરમાં ભાવથી કથાનું શ્રવણ કરતી મહિલાઓનો સમૂહ દેખાઈ રહ્યો છે.